top of page
Search


કર્મ અને પુરુષાર્થ…
પ્રશ્ન : એવું કહેવાય છે ને કે – ગમે તેટલો પુરુષાર્થ કરો, જે કર્મમાં હોય, તે જ થાય. જિનશાસનને તેવો એકાંત માન્ય નથી. કર્મને પુરુષાર્થ દ્વારા બદલી પણ શકાય છે, તેવું જિનશાસન માને છે. તમે જે કહી, તે વિચારણા, પુરુષાર્થ કર્યા પછી નિષ્ફળતા મળે, ત્યારે કરવાની હોય છે; પુરુષાર્થ કર્યા પહેલાં નહીં. મહેસાણા આવ્યા પછી વ્યાખ્યાન કરું... કોઈ ન પામે, તો વિચારું – ‘જેની ભવિતવ્યતા હોય, તે પામે’; તો બરાબર છે. પહેલેથી જ વિચારું કે ‘જેની ભવિતવ્યતા હશે, તે પામવાના જ છે’; તો પછી તો વ્યાખ્યાન કરવાનું


ભવ્ય એવા નવસારી આદિનાથ સંઘની સુંદર ભક્તિ...
નવસારી આદિનાથ સંઘના ઉપક્રમે ઉપધાનની આરાધના ચાલી રહી છે. (લાભાર્થી - શ્રમણોપાસક પરિવાર) આ ઉપધાનની આરાધનાની અનેક વિશેષતાઓમાં એક અનોખી વિશેષતા એ છે કે આરાધકોની નીવિમાં પીરસવાની ભક્તિ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ જ કરે છે. (ભાઈઓને ભાઈઓ અને બહેનોને બહેનો જ પીરસે છે) દીવાળીના દિવસોમાં બપોરના ૧૨.૪૫ વાગે આવવું અને ૨.૧૫ સુધી પીરસવા માટે શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર થશે? એ એક વાર મૂંઝવણ હતી... પણ ખૂબ ઉલ્લાસથી શ્રી સંઘ ભક્તિ કરે છે. જરૂર કરતાં બમણી સંખ્યામાં ભક્તિ કરવા સહુ તત્પર છે. તેમના 'વાર


સાધ્વાચાર – અપ્રતિબદ્ધ વિહાર…
અમારા માટે પણ આ વિધાન છે – કોઇ પ્રતિબંધથી વિહાર નથી કરવાનો. ‘આ ક્ષેત્રમાં ગરમી ઘણી છે... પેલા ક્ષેત્રમાં ઠંકડ છે...’ આવું વિચારીને ત્યાં વિહાર ન કરી શકાય. કોઇને શારીરિક મોટી પ્રતિકૂળતા-બિમારી હોય, તેની વાત જુદી છે. ‘પેલા ક્ષેત્રમાં ચાતુર્માસ કર્યું છે... ઘણા લોકો પરિચયમાં આવ્યા છે... ફરી ત્યાં જઇ આવું, તો પરિચય જળવાઇ રહેશે... હું નહીં જાઉં, તો મારા ભક્તો બીજાના થઇ જશે...’ એવું વિચારીને તે ક્ષેત્રમાં જવું, તે પ્રતિબંધ છે – રાગ છે – મમત્વ છે. શાસ્ત્રકાર એની મનાઇ કરે છે- એ રીતે
bottom of page
