top of page
Search


જિનશાસન - સુખનો માર્ગ - ૧
તમે અહીં કેમ આવ્યા ? સભા : વ્યાખ્યાન સાંભળવા માટે. બરાબર. જો વ્યાખ્યાન સામેના હોલમાં હોત, તો ? સભા : તો ત્યાં આવત. એનો અર્થ એ છે કે ભલે તમે અહીં આવ્યા, તમારે નિસ્બત વ્યાખ્યાન સાથે હતી, આ જગ્યા સાથે નહીં. વ્યાખ્યાન અહીંયા હતું, એટલે તમે અહીં આવ્યા. તે રીતે, પ્રભુ તો સુખનો જ માર્ગ બતાવવા માગતા હતા. મોક્ષ તો સુખનું સરનામું માત્ર છે… ત્યાં સુખ હોવાથી પ્રભુએ તેનો માર્ગ બતાવ્યો. પ્રભુને નિસ્બત આપણને સુખી કરવા સાથે જ છે, મોક્ષ સાથે નહીં... મોક્ષમાં આપણને બધાને ભેગા કરવાથી પ્રભુને શ


આરાધનાનું સાચું ફળ શું ?
આયંબિલ, રસનાની આસક્તિ ઘટાડવા માટે કરવાનું છે. તો એ આસક્તિ, આયંબિલના દિવસે જ ઘટાડવાની ? કે આયંબિલના પરિણામરૂપે કાયમ માટે ઘટાડવાની ? મોટા ભાગના લોકોના મનમાં એવું જ બેઠેલું છે કે આયંબિલના દિવસે આસક્તિ ત્યાગવાની. આયંબિલના પરિણામરૂપે, આત્મામાં રહેલા રસનાની આસક્તિના સંસ્કારો ઘસાવા જોઇએ.. અને એટલે પછીના દિવસોમાં પણ રસનાની આસક્તિ ઘટવી જોઇએ – એવું મોટા ભાગના લોકો સમજ્યા જ નથી. અને એટલે, પારણામાં જયાફત ઊડાવવા જોઇએ છે... ભરપૂર આસક્તિ પોષાય – તે રીતે વાપરે છે. આયંબિલ કરીને પારણામાં જયાફત


સંસ્કાર શી રીતે સુધરે ?
કોઇપણ ભાવનાનું પરિણામ તાત્કાલિક મળતું નથી. મળે તો દેખાતું નથી, કારણકે વિપરીત સંસ્કારો અનંત કાળના છે. તેનો નાશ કરવા લાંબા કાળ સુધી, સતત અને સખત પુરુષાર્થ અનિવાર્ય છે. સભા : સંસ્કાર એટલા ગાઢ છે કે પુરુષાર્થ કાચો પડે છે. એવું ન માનો કે પુરુષાર્થ નિષ્ફળ જાય છે. મને ગુસ્સો બહુ આવતો હોય... હું જાતને ભાવિત કરું કે ‘ગુસ્સો કરવા જેવો નથી...’ તેનાથી ગુસ્સો આવતો સર્વથા બંધ ન થાય. પણ, પહેલાં ૧૦ નિમિત્ત મળે, તો દસેમાં ગુસ્સો આવતો હોય, તો હવે ૧૦માંથી ૮-૯ માં આવે. એક-બે વાર યાદ આવે – ‘ગુસ્સ
bottom of page
