top of page
Search


આચરણા પણ માર્ગ છે…
‘શાસ્ત્રમાં કહ્યું હોય, તેટલું જ થાય.’ એવું માનવું–કહેવું, તે પરમાત્માના વચનનો ઘોર અનાદર છે, કારણકે સ્વયં પરમાત્મા જ કહી ગયા છે કે પૂર્વાચાર્યોની આચરણા પણ માર્ગ છે. બારસા સૂત્રમાં એક વાત આવે છે – અષાડ ચોમાસીથી ૫૦ દિવસ ગયા પછી અમે સંવત્સરી પ્રતિક્રમણ વગેરે પર્યુષણા-કલ્પ આચરીએ છીએ. શા માટે ? કારણકે અમારા પૂર્વાચાર્યો તેમ કરતાં હતાં. તેઓ શા માટે તેવું કરતાં હતાં ? કારણકે તેમના પૂર્વાચાર્યો તેવું કરતાં હતાં. આમ ત્યાં સ્પષ્ટપણે આચરણાને માર્ગ રૂપે જણાવ્યો છે. શા માટે આચરણાને માર્ગ


સ્યાદ્વાદ – સ્યાત્ નો અર્થ...
ચરણકરણાનુયોગનો સ્યાદ્વાદ સમજીએ. ‘જિનપૂજા કરવી જોઇએ.’ આ વાક્યનો અર્થ થશે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત થાય.’ તેમાં ‘સ્યાત્’ આ રીતે લગાડવાનો છે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત પણ થાય.’ હવે કહો – આ વાક્યમાં રહેલા ‘પણ’ શબ્દનો અર્થ શું ? સભા : જિનપૂજા સિવાયની બીજી આરાધનાથી પણ હિત થાય. એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી પણ આત્માનું હિત થાય.’ એમ કહેવું જોઇએ. સભા : જિનપૂજાથી અમારું પણ હિત થાય, બીજાનું પણ. એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી આત્માનું પણ હિત થાય.’ એમ કહેવું જોઇએ. મેં જે વાક


કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ નહીં… 2
કોઇ મારાં પ્રવચન સાંભળીને પ્રતિબોધ પામેલ વ્યક્તિને પૂછે – ‘તમે કોનાથી પામ્યા ?’ અને કોઇપણ કારણથી તે મારા બદલે બીજા કોઇનું નામ બોલે, મને શું ફરક પડે ? મેં તો કરુણાથી ઉપદેશ આપીને પુણ્ય બાંધી લીધું. હવે તે બીજાનું નામ આપે, તેથી પુણ્ય કંઇ તેનું થઇ જતું નથી. તે રીતે તમે કેમ વિચારી ન શકો ? મારાથી પ્રતિબોધ પામેલ વ્યક્તિ, મારા બદલે બીજાની પાસે દીક્ષા લે, તો મને શું ફરક પડે ? મેં તો કરુણાથી તેને પ્રતિબોધ કર્યો, એટલે લાભ મળી ગયો. તે સંયમ પામે તેના માટે મેં ઉપદેશ કર્યો, અને તે સફળ પણ થય
bottom of page
