top of page
Search


સંસ્થાના અગ્રણીઓ માટે ખાસ...
આપણે સત્તા ભોગવવા માટે નહીં, સેવાનો લાભ મેળવવા માટે ટ્રસ્ટી બન્યા છીએ - તે હંમેશા યાદ રાખવું. સેવા કરીને આપણે સંઘ પર ઉપકાર નથી કરતા, સંઘ આપણને સેવાનો લાભ આપીને ઉપકાર કરે છે - તેવી ભાવનાથી ભાવિત બનવું. સેવાભાવી સંસ્થાનો વહીવટ એટલે - લોકોના પૈસા ખર્ચીને પુણ્ય બાંધવાનો અવસર ! સેવાનો લાભ ચૂકીએ તો વેદના થવી જોઈએ. સત્તા ન મળે તેનો અફસોસ ન થવો જોઈએ. કદાચ આપણને પૂછ્યા વિના પણ સંઘનાં હિતનું સારું કામ થયું હોય, તો તેને બિરદાવવું જોઈએ. 'મને પૂછ્યા વિના થયું' તેનો અસંતોષ, ફરિયાદ કે સંઘર્


દીક્ષાર્થી-મુમુક્ષુઓની ભક્તિની કરી નવસારી-આદિનાથ સંઘે સુંદર વ્યવસ્થા
નવસારી આદિનાથ સંઘમાં બિરાજમાન ગુરુ ભગવંતે (પૂ.પં. શ્રી ભવ્યસુંદરવિ. મ.સા.), પર્યુષણમાં સાધર્મિક ભક્તિના કર્તવ્યમાં એક સરસ રજૂઆત કરી કે સાધર્મિકોમાં ઉત્કૃષ્ટ કક્ષાએ, ગુરુ ભગવંત પાસે સંયમની તાલીમ લઇ રહેલા મુમુક્ષુઓ આવે, કારણકે તેઓ આવતીકાલના સંયમી છે.. વિહારમાં આવતા ગુરુ ભગવંતો, પોતાની સાથે રહેલા મુમુક્ષુઓની વ્યવસ્થાની સૂચના કરે; તેના કરતાં ઉત્તમ એ છે કે શ્રાવકો તેમની ભક્તિ માટે ઉલ્લસિત થઈને વિનંતી કરે.. સંઘે ભવ્ય પ્રતિસાદ આપ્યો.. મુમુક્ષુઓની ભક્તિ કરવા ઉલ્લસિત પરિવારોએ ટપોટપ પ


સંયમનો અનુરાગ...
સંસાર માંડયા પછી મોટા ભાગે લોકો પસ્તાય છે. દીક્ષા લીધા પછી પસ્તાવો થતો હોય, તેવા સાધુ તો કો'ક જ મળશે. ઊલ્ટું જેમણે દીક્ષા લીધી છે, તે પોતાના માતા-પિતાને પણ દીક્ષા લેવાની પ્રેરણા આપતા હોય છે. તે જ બતાવે છે કે અહીં આવ્યાનો ખરો આનંદ છે. સંસારમાંથી સંયમ લીધા વિના છૂટકારો થવાનો નથી, એ નિશ્ચિત હકીકત છે. તો પછી આ ભવમાં જ સંયમ કેમ ન લેવું ? જો ઇચ્છા કરશો, તો બધી અનુકૂળતા થઈ પણ શકે છે. જે ઇચ્છા જ ન કરે, તેને કદી અનુકૂળતા મળવાની નથી... સભા : અમે એવું વિચારીએ છીએ કે આવતા ભવે, મહાવિદેહ ક
bottom of page
