Download PDF જિનશાસનના પરમાત્મા જેમ અજોડ છે; તેમ જિનશાસનમાં ગુરુતત્ત્વ પણ અપ્રતિમ છે. અન્ય સર્વ દર્શનોના સંન્યાસ કરતાં જિનશાસનનું સંયમ વિશિષ્ટ છે, દોષોનો નાશ કરવા માટે સક્ષમ છે. એનું સંપૂર્ણ વર્ણન કરવા તો ગ્રંથ લખવો પડે. કેટલીક અત્યંત જુદી તરી આવતી વિશિષ્ટતાઓ જોઇએ 🡺 વિહાર જૈન સાધુનું પોતાનું કોઇ સ્થાન-મકાન-આશ્રમ-મઠ-ઘર હોતા નથી. સદા તેઓ ફરતા રહે છે. એના કારણે સ્થાનના મમત્વ અને સ્થાન સાથે સંકળાયેલ વ્યક્તિઓ પ્રત્યેના મમત્વથી , અને તેના કરાણે ઊભા થઇ શકતા અનેક કષાયોથી... તેઓ બચી