top of page

સૂત્ર બોલતાં ધ્યાન શી રીતે થાય ?...

  • Aug 1
  • 1 min read
A representation of a Jain practitioner visualizing the idols of the 24 Tirthankaras in a specific sequence while reciting the Logassa Sutra to achieve meditative focus


લોગસ્સ બોલતાં ચિત્તને તેમાં એકાગ્ર શી રીતે કરવું ?

તે ઉપાય પૂ. ભુવનભાનુસૂ. મ.સા. એ બતાવ્યો છે. તેમાં ત્રણ ગાથામાં ૨૪ ભગવાનનાં નામ છે.


“ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ,

પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે.”


આ ગાથામાં એક એક લીટી(પાદ)માં, ૨-૩-૨-૧ ભગવાનનાં નામ છે. તે બોલતાં નજર સામે પરમાત્માની પ્રતિમાઓ આ રીતે લાવવાની

તો ચિત્ત તેમાં એકાગ્ર બને. આવું ત્રણે ગાથામાં કરવાનું.


સભા :આજ સુધી અમે આવું કર્યું જ નથી. તો બધી આરાધના નિષ્ફળ ગઇ ?


ના. ધ્યાન ન બને, તે સાધના સર્વથા નિષ્ફળ જ હોય - તેવું નથી. અલબત્ત, ધ્યાન વિના કેવળજ્ઞાન ન થાય. ધ્યાનરૂપ બનેલ સાધનાથી જ વિશિષ્ટ ફળ મળે.

પણ ધ્યાનરૂપ ન બનેલ સાધનાનું પણ ફળ તો છે જ.


તેમાં જેટલા શુભ ભાવ હોય, તેટલા શુભ સંસ્કાર વધે છે. જેટલી શુભ ક્રિયા હોય – શુભ ઉપયોગ હોય; તેટલું પુણ્ય બંધાય છે. તેનાથી પણ ફળ તો મળે જ છે.





Extract from Book Dhyan Jain Dharmani Drushtie written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


ધ્યાન જૈન ધર્મની દૃષ્ટિએ (Dhyan Jain Dharmani Drushtie)
₹15.00₹5.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page