top of page

નિષ્ફળતાનો અર્થ...

  • 4 days ago
  • 1 min read
તમારી આરાધના ભાવના વિનાની છે? પૂજ્ય ભવ્યસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સમજાવે છે કે કેવી રીતે આરાધના અને ભાવના એકબીજાના પૂરક બનીને સર્વ દોષોનો નાશ કરે છે


જે ફળ માટે મહેનત કરી હોય, તે ફળ ન મળે, તો ‘મહેનત નિષ્ફળ ગઇ’ એમ કહેવાય છે. પણ તેનો અર્થ એ નથી, કે કોઇ જ ફળ નથી મળ્યું. જેના માટે મહેનત કરી હતી, તે ફળ ન મળ્યું – એ જ તેનો અર્થ છે. તેના સિવાય બીજું ફળ મળ્યું હોય – તેવું સંભવિત છે જ.


૩૦ માર્ક લાવનાર છોકરો નાપાસ ભલે થયો; ૩૦ માર્ક આવ્યા, તે બતાવે છે કે તેને કંઇક તો આવડ્યું છે. તેના જ્ઞાનમાં કંઇક વૃદ્ધિ તો થઇ જ છે.


તમે ગાથા ગોખવા માટે અડધો કલાક મહેનત કરી. કદાચ ગાથા ન આવડી. તમારી મહેનત સફળ કહેવાય કે નિષ્ફળ ?

તમે એમ જ કહો છો કે ‘અડધો કલાક મહેનત કરી, પણ કાંઇ ન આવડ્યું’. મહેનત નિષ્ફળ ગયાનો અફસોસ જ લગભગ તમને થતો હોય છે.


હકીકત એ છે કે ભલે ગાથા ન આવડી હોય, અડધો કલાક ગોખવાના સમ્યક્ પુરુષાર્થથી તમને કર્મનિર્જરા તો થઇ જ હોય છે.

તે ફળ તો મળ્યું જ છે.


(ખરેખર તો કર્મનિર્જરા એ જ અહીં મુખ્ય ફળ છે. પણ તમારા

મનમાં ‘ગાથા આવડવી’ એ જ ફળ મુખ્યરૂપે બેઠું હોવાથી તમને મહેનત નિષ્ફળ લાગે છે.)





Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
₹25.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page