નિષ્ફળતાનો અર્થ...
- 4 days ago
- 1 min read

જે ફળ માટે મહેનત કરી હોય, તે ફળ ન મળે, તો ‘મહેનત નિષ્ફળ ગઇ’ એમ કહેવાય છે. પણ તેનો અર્થ એ નથી, કે કોઇ જ ફળ નથી મળ્યું. જેના માટે મહેનત કરી હતી, તે ફળ ન મળ્યું – એ જ તેનો અર્થ છે. તેના સિવાય બીજું ફળ મળ્યું હોય – તેવું સંભવિત છે જ.
૩૦ માર્ક લાવનાર છોકરો નાપાસ ભલે થયો; ૩૦ માર્ક આવ્યા, તે બતાવે છે કે તેને કંઇક તો આવડ્યું છે. તેના જ્ઞાનમાં કંઇક વૃદ્ધિ તો થઇ જ છે.
તમે ગાથા ગોખવા માટે અડધો કલાક મહેનત કરી. કદાચ ગાથા ન આવડી. તમારી મહેનત સફળ કહેવાય કે નિષ્ફળ ?
તમે એમ જ કહો છો કે ‘અડધો કલાક મહેનત કરી, પણ કાંઇ ન આવડ્યું’. મહેનત નિષ્ફળ ગયાનો અફસોસ જ લગભગ તમને થતો હોય છે.
હકીકત એ છે કે ભલે ગાથા ન આવડી હોય, અડધો કલાક ગોખવાના સમ્યક્ પુરુષાર્થથી તમને કર્મનિર્જરા તો થઇ જ હોય છે.
તે ફળ તો મળ્યું જ છે.
(ખરેખર તો કર્મનિર્જરા એ જ અહીં મુખ્ય ફળ છે. પણ તમારા
મનમાં ‘ગાથા આવડવી’ એ જ ફળ મુખ્યરૂપે બેઠું હોવાથી તમને મહેનત નિષ્ફળ લાગે છે.)
Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments