top of page

તપ કર્યો હોય, તેનું બહુમાન કોઈ કરે, તો લેવાય ?...

  • 7 hours ago
  • 1 min read
A spiritual diagram or illustrative representation of Mithyatva (wrong belief) versus Samyag (right belief) concerning the soul's journey toward liberation in Jainism


પ્રશ્ન : તપ કર્યો હોય, તેનું બહુમાન કોઈ કરે, તો લેવાય ?

ઉત્તર :

ઉપબૃંહણા-બહુમાન એ પણ સમ્યગ્દર્શનનો આચાર છે. 


અમને કોઈ વંદન કરે - તેવી અપેક્ષા ન રાખીએ; પણ વંદન કરે, તો ના પણ ન પાડીએ. હા, તેમાં અહંકાર ન કરીએ. ‘આ બહુમાન મારું નથી, સાધુના વેશનું છે’ એવી ભાવનાથી ભાવિત થઈએ


તેમ, કોઈ બહુમાન કરે - તેવી અપેક્ષા ન રાખવી. પણ કરે તો સર્વથા નિષેધ ન કરાય. ‘આ બહુમાન તપનું છે, મારું નથી’ એવી ભાવનાથી ભાવિત થવું. બહુમાનના ભાવથી બહુમાન કરતો હોય તેની આ વાત છે.


સંસારનો વ્યવહાર સમજીને વ્યવહાર કરે,અને સામે વ્યવહારની અપેક્ષા રાખે; જે હકીકીતમાં બહુમાન જ નથી. તેની વાત જુદી હોઈ શકે છે.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page