ત્યાગ અને ભાવના...
Aug 29
1 min read

એક વસ્તુ મેળવવા બીજી વસ્તુ ત્યાગે, તેમાં ત્યાગવાની ભાવના પ્રાયઃ ન હોય- ત્યાગવા જેવું લાગતું ન હોય.
સભા : મોક્ષ મેળવવા ત્યાગે તેને પણ પ્રલોભન જ કહેવાય ને ?
મોક્ષ એટલે શું ? તે સમજ્યા ન હોય, તેને જ આવો પ્રશ્ન થાય.
આપણે પૂર્વે જણાવેલું કે સાધના વીતરાગ બનવા માટે છે, મોક્ષ તો બોનસમાં મળે છે. વીતરાગ બનવાની ઇચ્છાનો અર્થ જ છે રાગ ઘટાડવાની ભાવના. તે જ ત્યાગવાની ભાવના છે.
તેમાં પ્રલોભન શું છે ? કંઇ નહીં.
ફરી વાત કરું – ત્યાગ અવશ્ય કરવાનો છે, પણ સાથે ત્યાગવાની ભાવના જોઇએ. તો જ આત્માના અશુભ સંસ્કાર ઘટે.
અભવ્ય આખો સંસાર ત્યાગે છે. પણ તેને ત્યાગવા જેવો લાગતો નથી. પરભવમાં મોટો સંસાર મેળવવા માટે ત્યાગે છે. એટલે જ તેના અશુભ સંસ્કાર ઘટતા નથી.
Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now

Comments