top of page
Search


પુણ્ય પર ભરોસો છે?...
પુણ્ય પર તમારી શ્રદ્ધા કેવી છે ? તે વાત, એક દૃષ્ટાંતથી સમજાશે. ગોરેગાંવ-મુંબઇમાં મારા ગુરુદેવને મળવા એક ભાઈ આવેલા. તેમણે એક પ્રસંગ જણાવ્યો. પૌત્રને લઇને દેરાસર દર્શન કરવા ગયા. દર્શન કરાવીને પૌત્રના હાથમાં પૈસા આપીને કહ્યું – ‘બેટા, ભંડારમાં નાખ.’ પૌત્રએ પૂછ્યું – ‘દાદા, ભંડારમાં પૈસા શું કામ નાખવાના ?’ તમે પણ તમારા નાના દીકરા કે પૌત્રને આવું શીખવાડતા હશો. તે આવો પ્રશ્ન પૂછે, તો શું જવાબ આપો ? સભા : ધનની મૂર્ચ્છા ઉતારવા માટે. નાની ઉંમરના બાળકને આવા ભારેખમ શબ્દોમાં શું સમજાય ?
bottom of page
