રાત્રે ખરીદેલા પુષ્પથી બીજા દિવસે સવારે પ્રભુની પૂજા થઈ શકે ?...
Aug 27
1 min read

પ્રશ્ન : રાત્રે ખરીદેલા પુષ્પથી બીજા દિવસે સવારે પ્રભુની પૂજા થઈ શકે ?
ઉત્તર :
આવી વાતોનો નિર્ણય શાસ્ત્ર, પરંપરા અને વર્તમાન સંયોગોના આધારે થતો હોય છે. એટલે એ નિર્ણય કરવાનો અધિકાર શ્રીસંઘના અગ્રણી ગીતાર્થોનો ગણાય.
વર્તમાનમાં સવારનાં ખરીદેલાં પુષ્પોથી જ પ્રભુની પુષ્પપૂજા (અને અંગરચના) કરવાનો વ્યવહાર પ્રસ્થાપિત થયેલો જોવા મળે છે.
આગલા દિવસે રાત્રે ખરીદેલાં પુષ્પોથી બીજે દિવસે પ્રભુની પુષ્પપૂજા થતી હોય – તેવું લગભગ જોવા મળતું નથી.
એટલે, પ્રસ્થાપિત વ્યવહારને ફેરવવાની અનુમતિ શ્રીસંઘના અગ્રણી ગીતાર્થો ન આપે, ત્યાં સુધી તે વ્યવહારને અનુસરવો – તેનો ભંગ ન કરવો, તે માર્ગ છે. તર્કોથી – દલીલોથી તેનું ખંડન કરવું – તે માર્ગ નથી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments