top of page

અનુકંપા કઇ રીતે કરાય ?...

  • Jun 27
  • 1 min read
 Is drinking plate-washings equal to an Ayambil fast? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the true meaning behind this saying and the importance of staying within scriptural boundaries when giving sermons.


અનુકંપાનાં કાર્યો (જેમ કે ખીચડી ઘર વિ.) એ રીતે જ કરવા જોઈએ જેથી વધુમાં વધુ શાસન પ્રભાવના થાય.

‘આ જૈનો કરી રહ્યા છે’ એવી સૌને ખબર પડે, તેવા બેનર નીચે જ એ કામ કરવું જોઈએ. ‘જૈન’ શબ્દ આવવો જ જોઈએ.


આવાં કામોની સર્વત્ર જાહેરાત પણ કરવી જોઈએ, જેથી સામાન્ય લોકો પણ જાણે કે ‘જૈનો માનવતાના કાર્યો પણ કરે જ છે, માત્ર દેરાસરોમાં પૈસા નથી ખરચતા.’ આમ કરવાથી લોકોના હૃદયમાં જૈનો પ્રત્યે સદ્ભાવ ઊભો થાય, જે શાસન-પ્રભાવના છે.


સભા – આપણે સુકૃતોની જાહેરાત ન કરવી જોઈએ, એવું કહેવાય છે ને !

એ વાત વ્યક્તિગત સ્તરની છે. તમે તમારું સુકૃત જાહેર ન કરો, તે બરાબર જ છે. પણ અનુકંપા જેવા કાર્યમાં, 'જૈન સંઘ' આ કરી રહ્યો છે, એવી જાહેરાત અત્યંત જરૂરી છે. કારણકે

1. ઘણાંને એવો ભ્રમ છે કે જૈનો પથ્થરમાં જ પૈસા ખર્ચે છે, તે દૂર થાય.

2. જેમને સહાયતા મળે છે, તેમને જૈનો, જૈનોના ભગવાન પ્રત્યે બહુમાન ઊભું થાય, જે બોધિબીજ બને.

3. લોકોમાં જૈનોની પ્રશંસા થાય – ‘જૈનો સમાજનાં સુંદર કાર્યો કરે છે.’


આ બધા લાભ ઘણા મોટા છે, એટલે આવા સુકૃતો જાહેર રીતે જ કરવા જોઈએ.





Extract from Book Samkit Nu Mul Janiye Jee written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સમકિતનું મૂળ જાણીએ જી (Samkit Nu Mul Janiye Jee)
₹35.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page