ભાવ વિનાના દાનનું ફળ...
- Jun 6
- 1 min read

સૌ પહેલી વાત દાનની કરીએ
માનો કે તમે ૫૦૦ ₹ નું દાન કર્યું. તેનાથી તમારો પરિગ્રહ ઘટ્યો કે નહીં ? ઘટે જ છે. અને દ્રવ્યથી જ પરિગ્રહ નથી ઘટતો, ભાવથી પણ ઘટે છે.
તમે કોઇને ૫૦૦ ₹ આપ્યા. તે ખિસ્સામાં મૂકીને ચાલતો થયો. પછી ‘એ ૫૦૦ ₹ મારા છે’ એવી મમત્વબુદ્ધિ રહે ખરી ? નહીં જ.
એ મમત્વ ગયું, એ જ ભાવ-પરિગ્રહનો ઘટાડો છે.
જો તમે ૫૦૦ ₹ ન આપ્યા હોત, તમારા ખિસ્સામાં જ રાખ્યા હોત, તો ‘એ મારા છે’ એવું મમત્વ (ભાવ-પરિગ્રહ) રહેત જ... તેનાથી પાપકર્મ બંધાત જ...દાન કરવાથી તમે એ પાપબંધથી અટકી ગયા.
બીજી વાત, ૫૦૦ ₹ નું દાન ન કર્યું હોત, તમારા ખિસ્સામાં હોત, તો તેનો શું ઉપયોગ કરત ?
કોઇક ને કોઇક પાપકાર્યમાં જ તેનો ઉપયોગ કરત... દાન કરી દેવાથી તમે એ સંપત્તિનો પાપમાં ઉપયોગ કરવાથી અટકી ગયા. (બીજા પૈસાથી કદાચ પાપ કરો તો પણ એ ૫૦૦ ₹ થી તો હવે કોઇ પાપ કરવાના નથી જ.)
આમ, દાને તમને પાપપ્રવૃત્તિથી અટકાવ્યા, અને એટલે પાપબંધથી પણ અટક્યા.
Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments