top of page

આભાસિક ઉપશાંતતા...

  • Writer: Shraman Books
    Shraman Books
  • Dec 13, 2025
  • 1 min read

Updated: Dec 30, 2025


રોગ દબાયેલો સારો ? કે પ્રગટ થયેલો ?

સભા: પ્રગટ થયેલો. ખબર પડે, તો દવા થાય.

બરાબર છે. દબાયેલો રોગ ખબર ન પડવાથી દવા તો ન થાય, પણ ‘રોગ નથી’ એમ માનીને અપથ્ય વાપરે, તો રોગ વકરે.

એમ, જેને અંદર રાગ-દ્વેષ અકબંધ હોય, બહારથી ઉપશાંતતા હોય, તે પોતાની જાતને ઉપશાંત માનીને અશુભ નિમિત્તો સેવે, તો રાગ-દ્વેષ વધે.


એકાંત નિશ્ચયવાદીઓમાં એમ જ થાય છે.

ઘણા કહેતા હોય છે - 'તેઓ ઉપશાંત હોય છે.’ હકીકતમાં એ આભાસ છે.

સભા : એ નક્કી શી રીતે કરવું ?

જ્યાં જ્ઞાનીની પરતંત્રતા નથી... 'જ્ઞાનીનાં વચન પોતાને ન સમજાય, તો પણ સ્વીકારવા' એવી શ્રદ્ધા નથી... તેના ગુણો આભાસિક સમજવા.

તેનું કારણ એ છે કે ઉપરથી ગમે તેટલા શાંત થયેલા દેખાતા હોય, અંદર દૃષ્ટિરાગ અકબંધ પડ્યો છે.

જ્ઞાનીનાં વચન ન સ્વીકારવા - એનું નામ જ દૃષ્ટિરાગ છે...


Extract from Book Bhavna nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page