top of page

આરાધના શા માટે કરવાની ?

  • Writer: Shraman Books
    Shraman Books
  • Aug 13
  • 1 min read

Updated: Aug 30

ree

ધંધો કોને કહેવાય ?

બજારમાં જવું... ખરીદી કરવી... વેચાણ કરવું... વગેરેને વ્યવહારથી ધંધો કહેવાય. પણ વર્ષના અંતે જો નફો ન થયો હોય, ખોટ જ આવી હોય, તો એમ કહેવાય કે ‘ધંધો કરતા આવડ્યું નહીં.’ 

સાચો ધંધો કરેલો ત્યારે જ કહેવાય કે નફો થાય.

સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરો, તો ‘તમે આરાધના કરી’ એવું વ્યવહારથી કહેવાય. પણ તેનાથી જો રાગ-દ્વેષમાં સહેજ પણ ઘટાડો ન થાય, તો એમ જ કહેવાય કે ‘આરાધના કરતાં આવડ્યું નહીં.’ 

રાગ-દ્વેષ ઘટે, તો જ આરાધના કરેલી સાચી ગણાય.


ધંધો કરનારા વર્ષના અંતે સરવૈયું બનાવે છે – કેટલો નફો થયો ?

આરાધના કરનારા તમે બધા, ‘મારા દોષો કેટલા ઘટ્યા ?’ – એનું સરવૈયું કાઢો છો ખરા ?


હકીકત એ છે કે આરાધના કરનારા, આરાધના કરવા માત્રથી જ સંતોષ માની લે છે – ‘મેં પૂજા કરી લીધી... મારી સામાયિક થઈ ગઈ... પ્રતિક્રમણ થઈ ગયું...’ એટલા માત્રથી જ જાતને કૃતાર્થ માની લે છે.


આરાધના કરીને પણ કાંઈક મેળવવાનું છે – એવી કદાચ સમજ જ નથી... તો આરાધનાથી કંઈ મળ્યું કે નહીં ? તેનું આત્મનિરીક્ષણ ક્યાંથી હોય?

આ તો કેવું છે ? 

‘ધંધો કર્યો એટલે ઘણું થઈ ગયું’ એવું માની લીધું... ‘નફો થયો કે નહીં ? કમાણી થઈ કે નહીં ?’ એનો વિચાર જ નહીં કરવાનો... એનું શું થાય ? 


આરાધના કર્યા વિના દોષો ઘટતા નથી. 

પણ આરાધના કરવા માત્રથી દોષો ઘટી જતા નથી.

દોષોને ઘટાડવાના લક્ષ્યથી ઉચિત આરાધના કરે, તેના જ દોષો ઘટે છે.


Extract from Book Adhyatma-Yatra written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અધ્યાત્મ યાત્રા (Adhyatma Yatra)
Buy Now



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page