ભવ્ય એવા નવસારી આદિનાથ સંઘની સુંદર ભક્તિ...
- Shraman Books
- 4 days ago
- 1 min read
Updated: 3 days ago

નવસારી આદિનાથ સંઘના ઉપક્રમે ઉપધાનની આરાધના ચાલી રહી છે. (લાભાર્થી - શ્રમણોપાસક પરિવાર)
આ ઉપધાનની આરાધનાની અનેક વિશેષતાઓમાં એક અનોખી વિશેષતા એ છે કે આરાધકોની નીવિમાં પીરસવાની ભક્તિ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ જ કરે છે. (ભાઈઓને ભાઈઓ અને બહેનોને બહેનો જ પીરસે છે)
દીવાળીના દિવસોમાં બપોરના ૧૨.૪૫ વાગે આવવું અને ૨.૧૫ સુધી પીરસવા માટે શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર થશે? એ એક વાર મૂંઝવણ હતી...
પણ ખૂબ ઉલ્લાસથી શ્રી સંઘ ભક્તિ કરે છે. જરૂર કરતાં બમણી સંખ્યામાં ભક્તિ કરવા સહુ તત્પર છે. તેમના 'વારા' રાખવા પડે છે... સ્વયં સંપન્ન-શ્રીમંત શ્રાવકો, ટ્રસ્ટીઓ પણ અદના સેવક બનીને ભક્તિ કરે છે...
શ્રીસંઘની ભક્તિના અંતરથી ઓવારણાં... હાર્દિક અનુમોદના !!
Inspiration by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
