દ્વેષ રાગજન્ય છે...
- 2 days ago
- 1 min read

દ્વેષ એ તીવ્ર રાગ હોવાનો સૂચક છે. દૃષ્ટાંતથી આ વાત સમજાવું.
માની લો કે મને મોહનથાળ પર રાગ છે. પાતરામાં આવે, અને વાપરું, તો રાગ થાય છે.
કોઇ સાધુ ગોચરીમાં લાવ્યો તેની ખબર પડવાથી જ જો આનંદ થાય,
તો માનવું પડે કે રાગની માત્રા વધારે છે.
સ્વામિવાત્સલ્યમાં મોહનથાળ હોવાની ખબર પડવાથી પણ આનંદ થાય,તો સમજવું પડે કે રાગ હજી વધારે છે.
મેં સાધુને કહ્યું હોય – ‘મોહનથાળ મળે, તો લાવજો.’ તેને મળવા છતાં ન લાવે...
મને ખબર પડે ત્યારે તેના પર ગુસ્સો આવે, તો સમજવું પડે કે રાગ ઘણો વધારે છે.
એટલે દ્વેષ થવો, તે તીવ્ર રાગનું સૂચક છે. સામાન્ય રાગ હોય, તો દ્વેષ ન થાય.
બારી ખુલ્લી હોય, ઠંડો પવન આવે, તે ગમે છે – તે રાગ છે.
બારી બંધ હોય, અને પવન ન આવે, તો રાગ ન થાય; પણ તેનાથી અકળામણ થાય...
‘કોણે બંધ કરી ?’ તેના પર દ્વેષ થાય... તો તેનો અર્થ એ છે કે રાગ તીવ્ર છે.
એટલે દ્વેષને ઓછો નુકસાનકારક ન માનતા.
દ્વેષના કારણે નરકમાં ગયેલા, પછી એકેન્દ્રિયમાં અનંત કાળ રહે – તેવું બની શકે છે.
Extract from Book Bhavna Nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments