ધર્મનું ફળ Product અને Byproduct
- May 16
- 1 min read

આરાધનાનું મુખ્ય ફળ (Product) દોષોનો ઘટાડો છે. આરાધના કરવાની તેના માટે જ છે.બીજાં ફળો પણ તેનાથી મળી શકે, મળે છે, જેમ કે પુણ્યબંધ, કર્મનિર્જરા વગેરે. પણ એ બધા By-Product છે.
આપણે અનંત કાળમાં આરાધના કરી, પણ By-Product માટે જ કરી. તેને જ આપણે મુખ્ય ફળ (Product) માની લીધું. હકીકતમાં જે મુખ્ય ફળ છે, તે આપણને જોઇતું જ નહોતું.તેથી આરાધના કરવા છતાં આપણા દોષો ઘટ્યા નહીં, આપણો સંસાર એવો ને એવો રહ્યો.
જે હજુ ધર્મમાર્ગે ચડ્યો જ નથી, તેને By-Product બતાવીને પણ ધર્મમાર્ગે ચડાવાય – એ જુદી વાત છે.
એનું કારણ એ છે કે ધર્મનું જે મુખ્ય ફળ છે, તેની તેને સમજ જ નથી, તેનું કોઇ આકર્ષણ જ નથી. તેના માટે ધર્મ કરવા એ તૈયાર થવાનો જ નથી. એટલે, તેને ધર્મ કરતો કરવા માટે By-Product જ બતાવવી પડે. પાઠશાળા જવાનું તો ભણવા માટે છે.
પણ જેને ભણવાના લાભ જ ખબર નથી, અને એટલે ભણવું નથી, ભણવા માટે પાઠશાળા જવું નથી; તેવા બાળકને ગિફ્ટનું આકર્ષણ બતાવીને પણ પાઠશાળા મોકલાય છે.
ગિફ્ટ માટે પાઠશાળા જશે, ભણશે... નાનપણમાં એના સંસ્કાર પડશે... પછી સમજણ આવશે, ત્યારે ભણવાના લાભ સમજાશે.
એ રીતે,‘દોષોના ઘટાડામાં જ સાચું સુખ છે’ એ પ્રભુની વાત જે જીવોને હજી સમજાઇ જ નથી... અને એટલે દોષો ઘટાડવાની કોઇ ઇચ્છા જ નથી...
તેમને પુણ્યબંધ વગેરે, જે ધર્મના હકીકતમાં આનુષંગિક ફળ (By-Product) છે, તે બતાવીને પણ ધર્મમાં જોડવામાં આવે છે.
પુણ્યથી મળતી સામગ્રીનું આકર્ષણ તો જીવમાં અનાદિ કાળથી પડ્યું જ છે. એટલે પુણ્ય બાંધીને તે સામગ્રી મેળવવા માટે ધર્મ કરવા જીવ જલ્દી તૈયાર થઇ જાય છે
Extract from Book Sukh Kyan written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments