top of page

સંવિગ્નતા...

  • Writer: Shraman Books
    Shraman Books
  • Nov 25, 2025
  • 1 min read

Updated: Dec 30, 2025


જે ગુરુ ઉપદેશ દ્વારા તમને જિનશાસન સાથે, દેવ-ગુરુ સાથે જોડે; માત્ર પોતાની સાથે – પોતાના ગ્રુપ-સમુદાય સાથે નહીં;

તે સંવિગ્ન છે.

તમને ગુરુતત્ત્વ કેવું ? તે સમજાવે. અને તેવા બધા ગુરુની ભક્તિ કરવાનું કહે. તેમાં જે ઉપદેશ આપવાના અધિકારી હોય અને આપતા હોય, તો તેમને સાંભળવાનું કહે; તે સંવિગ્ન.


પોતાની જ કે પોતાના ગ્રુપ-સમુદાયની જ ભક્તિ કરવાનું કહે... પોતાને કે પોતાના ગ્રુપ-સમુદાયના જ મહાત્માને સાંભળવાના, બીજાને નહીં; તેવું કહે... તે સંવિગ્નતા નથી.


…બહુરત્ના વસુંધરા...

દરેક સમુદાયમાં મહાપુરુષો હોઇ જ શકે, અને છે જ.

તેને ન સ્વીકારે, તેની પોતાની સંવિગ્નતા પર જ પ્રશ્નાર્થ ઊભો થઇ જાય…


Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page