સંસાર અને મોક્ષનું મૂળ...
- Jan 30
- 1 min read
Updated: Jan 31

માથાનો દુઃખાવો હોય, તેને ગોળીમાં સુખ દેખાય છે, ગોળી લેવાથી સુખનો અનુભવ થાય છે.
જેને માથાનો દુઃખાવો છે જ નહીં, તેને ગોળીમાં સુખ દેખાતું પણ નથી, અનુભવાતું પણ નથી.
વાસ્તવમાં તે વગર ગોળીએ સુખી જ છે.
તે રીતે, સામગ્રીની તૃષ્ણા હોય, તેને જ સામગ્રીમાં સુખ દેખાય છે - અનુભવાય છે.
જેને સામગ્રીની તૃષ્ણા જ નથી, તેને સામગ્રીમાં સુખ દેખાતું જ નથી.
તે વગર સામગ્રીએ સુખી જ છે.
1. જેને મીઠી ભેળ જ જોઇએ, તેને મીઠી ભેળ મળે, તો જ સુખી થાય.
2. જેને ગમે તેવી, પણ ભેળ જ જોઇએ; તેને ભેળ મળે, તો જ સુખી થાય.
૩. જેને પેટ ભરવા ગમે તે ખોરાક જોઇએ, તેને ખોરાક મળે, તો જ સુખી થાય.
4. જેને શરીર જ ન હોવાથી કોઇ અપેક્ષા નથી, તે સદા સુખી જ છે.
આ ચારે જીવો ઉત્તરોત્તર વધુ સુખી છે, કારણકે તેમની અપેક્ષા ઓછી છે.
આપણે ડાળીઓ કાપી, પણ 'સુખ સામગ્રીમાં જ છે' એવી સમજ રૂપી સંસારનું મૂળ
અડીખમ ઊભું રાખ્યું.
મૂળ અડીખમ હશે, તો કાપેલી ડાળીઓ ફરી ઊગશે.
જ્યાં સુધી એ મૂળને આપણે ઊખેડીશું નહીં.. 'સામગ્રીમાં સુખ છે જ નહીં' એ સમજને
આત્મસાત્ કરશું નહીં.. ત્યાં સુધી આપણો સંસાર ઊખડવાનો નથી.
એક વાર પણ એ સમજ આત્મસાત્ કરી કે 'સુખ સામગ્રીમાં નથી', તો સંસારનું
મૂળ ઊખડી જશે. એક પુદ્ગલ પરાવર્તમાં આપણો મોક્ષ થઇ જશે !
Extract from Book Adhyatma Path written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments