top of page

સંસાર અને મોક્ષનું મૂળ...

  • Jan 30
  • 1 min read

Updated: Jan 31

  • માથાનો દુઃખાવો હોય, તેને ગોળીમાં સુખ દેખાય છે, ગોળી લેવાથી સુખનો અનુભવ થાય છે.

    જેને માથાનો દુઃખાવો છે જ નહીં, તેને ગોળીમાં સુખ દેખાતું પણ નથી, અનુભવાતું પણ નથી.

    વાસ્તવમાં તે વગર ગોળીએ સુખી જ છે.


  • તે રીતે, સામગ્રીની તૃષ્ણા હોય, તેને જ સામગ્રીમાં સુખ દેખાય છે - અનુભવાય છે.

    જેને સામગ્રીની તૃષ્ણા જ નથી, તેને સામગ્રીમાં સુખ દેખાતું જ નથી.

    તે વગર સામગ્રીએ સુખી જ છે.


    1. જેને મીઠી ભેળ જ જોઇએ, તેને મીઠી ભેળ મળે, તો જ સુખી થાય.

    2. જેને ગમે તેવી, પણ ભેળ જ જોઇએ; તેને ભેળ મળે, તો જ સુખી થાય.

    ૩. જેને પેટ ભરવા ગમે તે ખોરાક જોઇએ, તેને ખોરાક મળે, તો જ સુખી થાય.

    4. જેને શરીર જ ન હોવાથી કોઇ અપેક્ષા નથી, તે સદા સુખી જ છે.


  • આ ચારે જીવો ઉત્તરોત્તર વધુ સુખી છે, કારણકે તેમની અપેક્ષા ઓછી છે.

    આપણે ડાળીઓ કાપી, પણ 'સુખ સામગ્રીમાં જ છે' એવી સમજ રૂપી સંસારનું મૂળ

    અડીખમ ઊભું રાખ્યું.

    મૂળ અડીખમ હશે, તો કાપેલી ડાળીઓ ફરી ઊગશે.


  • જ્યાં સુધી એ મૂળને આપણે ઊખેડીશું નહીં.. 'સામગ્રીમાં સુખ છે જ નહીં' એ સમજને

    આત્મસાત્‌ કરશું નહીં.. ત્યાં સુધી આપણો સંસાર ઊખડવાનો નથી.


  • એક વાર પણ એ સમજ આત્મસાત્‌ કરી કે 'સુખ સામગ્રીમાં નથી', તો સંસારનું

    મૂળ ઊખડી જશે. એક પુદ્‌ગલ પરાવર્તમાં આપણો મોક્ષ થઇ જશે !



Extract from Book Adhyatma Path written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અધ્યાત્મ પથ (Adhyatma Path)
₹25.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page