top of page

સ્યાદ્વાદ – સ્યાત્ નો અર્થ

  • Writer: Shraman Books
    Shraman Books
  • Oct 20
  • 1 min read

Updated: Oct 24

ree

ચરણકરણાનુયોગનો સ્યાદ્વાદ સમજીએ.

‘જિનપૂજા કરવી જોઇએ.’ આ વાક્યનો અર્થ થશે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત થાય.’

તેમાં ‘સ્યાત્’ આ રીતે લગાડવાનો છે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત પણ થાય.’

હવે કહો – આ વાક્યમાં રહેલા ‘પણ’ શબ્દનો અર્થ શું ?


સભા : જિનપૂજા સિવાયની બીજી આરાધનાથી પણ હિત થાય.

એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી પણ આત્માનું હિત થાય.’ એમ કહેવું જોઇએ.


સભા : જિનપૂજાથી અમારું પણ હિત થાય, બીજાનું પણ.

એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી આત્માનું પણ હિત થાય.’ એમ કહેવું જોઇએ.


મેં જે વાક્ય કહ્યું, તેનો અર્થ એ થશે કે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત પણ થાય, અહિત પણ થાય.’


સભા : પૂજા કરવાથી અહિત શી રીતે થાય ?

તમને ખ્યાલ હશે જ, કે જેના શરીરમાંથી સતત પરૂ નીકળતું હોય, તેને પૂજા કરવાનો નિષેધ છે; કારણકે તેમાં પ્રભુની આશાતના થાય છે.

પરૂ નીકળતું હોવા છતાં, શાસ્ત્રનો અનાદર કરીને કોઇ પૂજા કરે, તો અહિત જ થાય ને ?

સાધુને દ્રવ્યપૂજાનો નિષેધ છે. તેનો અનાદર કરીને કોઇ સાધુ પૂજા કરે, તો શું થાય?


Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page