top of page
Search


સાધ્વાચાર – અપ્રતિબદ્ધ વિહાર…
અમારા માટે પણ આ વિધાન છે – કોઇ પ્રતિબંધથી વિહાર નથી કરવાનો. ‘આ ક્ષેત્રમાં ગરમી ઘણી છે... પેલા ક્ષેત્રમાં ઠંકડ છે...’ આવું વિચારીને ત્યાં વિહાર ન કરી શકાય. કોઇને શારીરિક મોટી પ્રતિકૂળતા-બિમારી હોય, તેની વાત જુદી છે. ‘પેલા ક્ષેત્રમાં ચાતુર્માસ કર્યું છે... ઘણા લોકો પરિચયમાં આવ્યા છે... ફરી ત્યાં જઇ આવું, તો પરિચય જળવાઇ રહેશે... હું નહીં જાઉં, તો મારા ભક્તો બીજાના થઇ જશે...’ એવું વિચારીને તે ક્ષેત્રમાં જવું, તે પ્રતિબંધ છે – રાગ છે – મમત્વ છે. શાસ્ત્રકાર એની મનાઇ કરે છે- એ રીતે
bottom of page
