ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં એક સરસ વાત આવે છે. ત્યાં પડિલેહણનો વિધિ બતાવ્યા પછી, તેનો મહિમા બતાવતા જણાવ્યું છે – આ પ્રમાણે પડિલેહણ કરવાથી, અનેક ભવોમાં બાંધેલા અનંતા કર્મો ખપે છે. પછી ત્યાં પ્રશ્ન કર્યો છે – તો પછી જિંદગીભર, આખો દિવસ પડિલેહણ જ કર્યા કરવાનું. તેનાથી જ મોક્ષ થઇ જશે. તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે અઘરી-કષ્ટદાયક આરાધના શા માટે કરવાની ? તેનો શાસ્ત્રકારે જવાબ આપ્યો છે – જે સાધુ, યથોચિત તપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ-વિનય વગેરે કરતો હોય; તેને જ પડિલેહણ કરવાથી અનંતા કર્મો ખપે. જે સાધ