top of page
Search


કયું ધ્યાન ઉચ્ચ સાધના...
ધ્યાન શબ્દના અનેક અર્થ થઇ શકે. ‘ધ્યાન રાખીને ચાલજો, પડી ન જવાય..’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે –સાવધાની... ‘ધ્યાન આપીને ભણ...’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે સ્થિરતા... ‘ધ્યાનથી જુઓ...’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે – સૂક્ષ્મતા... આવા બીજા પણ અર્થ હોઇ શકે છે. જે ધ્યાનને શાસ્ત્રકારે ઉચ્ચ કક્ષાની સાધના બતાવી, જે ધ્યાનથી વિશિષ્ટ કર્મનિર્જરા-મોક્ષ બતાવ્યો, તે ધ્યાનનો અર્થ શુભ ભાવોની સ્થિરતા છે. ધ્યાનરૂપ બનેલ ક્રિયામાં શુભ ભાવોની સ્થિરતા હોવાથી, તે ધ્યાનરૂપ ન બનેલ ક્રિયા કરતાં ઉચ્ચ કક્ષાની


ધર્મ સ્થાનમાં અનુચિતતાની જવાબદારી...
પ્રશ્ન : ધર્મસ્થાનમાં કંઈ અનુચિત થાય, તો તેના પાપના ભાગીદાર ટ્રસ્ટીઓ બને ? ઉત્તર : આનો જવાબ હું આ રીતે આપીશ - મારો શિષ્ય પાપ કરે, તો મને પાપ લાગે ? જો હું તેને પાપ કરવાની આજ્ઞા કરું કે રજા આપું, તો લાગે. તેને પાપ કરવામાં મારી અનુમતિ હોય તો પણ લાગે. મારી ઈચ્છા એવી હોય કે, ‘તે પાપ કરે’, ભલે હું તેવું બોલું નહીં, તો પણ લાગે. તે પાપ કરે છે તેવી મને ખબર હોય, હું તેને અટકાવી શકું તેમ હોઉં, છતાં ઉપેક્ષા કરું તો પણ લાગે. પણ, મારી જાણ બહાર તે પાપ કરે, તો હું શું કરી શકું ? હું બેદરકાર


સમર્પણ...
Download PDF સમર્પણનો અર્થ એવો કરાય છે કે ‘આપણી કોઇ ઇચ્છા જ ન હોવી.’ એ ઉચિત છે ખરો ? ➢ દોષનાશ અને ગુણપ્રાપ્તિની ઇચ્છા સદા લક્ષ્યરૂપે હોવી જરૂરી નથી ? એ જ સંવેગ છે ને ? તેના માટે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, તે માર્ગે ચાલવાની ઇચ્છા હોવી પણ જરૂરી નથી ? એ જ જિનાજ્ઞાપાલનનો પરિણામ છે ને ? ➢ ઉત્તમ સાધનાઓના મનોરથો કરવાના વિધાન શાસ્ત્રોમાં નથી ? ચારિત્રમનોરથમાળા નામનો આખો ગ્રંથ છે. ➢ બારસા સૂત્રમાં સૂત્રો છે – સાધુને તપ કરવાની ઇચ્છા થાય, તો ગુરુને પૂછીને કરવો કલ્
bottom of page
