top of page
Search


કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ (Result) નહીં…
કોઇપણ પ્રવૃત્તિથી થતા કર્મબંધનો આધાર, તે વ્યક્તિના અંતરમાં રહેલી પરિણતિ છે; તે પ્રવૃત્તિથી બહાર જે પરિણામ આવે છે, તે નહીં. મારા વ્યાખ્યાનમાં ૧૦૦ માણસ સાંભળવા આવે કે ૧૦૦૦ આવે, તેનાથી મારા પુણ્યબંધમાં ફરક પડતો નથી. મારા પુણ્યબંધનો આધાર, મારા અંતરમાં રહેલી (શ્રોતાઓને સન્માર્ગ બતાવવાની) કરુણા ભાવના, ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવાની ભાવના, સંઘ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવાની ભાવના, ભવાંતરમાં જિનવચન મને મળે તે માટે બીજાને આપવાની ભાવના.. એ બધા પર રહેલો છે. સભા : સંખ્યા વધે, તો ભાવ પણ વધે
bottom of page
