top of page
Search


કયું મીઠું સચિત્ત છે ? કયું મીઠું અચિત્ત છે ?
પ્રશ્ન : કયું મીઠું સચિત્ત છે ? કયું મીઠું અચિત્ત છે ? ઉત્તર : ચાર પ્રકારનું મીઠું હાલ બજારમાં મળે છે સાદું (પ્રાયઃ આખું) મીઠું, રિફાઇન્ડ મીઠું (ટાટા વગેરે કંપનીનું), સંચળ મીઠું (Black Salt), સિંધાલૂણ અથવા સૈંધવ મીઠું (Rock Salt). દરેકની સચિત્તતા-અચિત્તતા જોઇશું. સાદું મીઠું : સચિત્ત છે. તે બે રીતે અચિત્ત થાય . - તાવડી વગેરેમાં (રંગ બદલાય તેટલું) શેકવાથી. તે રીતે અચિત્ત થયા પછી શિયાળામાં (કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪) ૧૫ દિવસ ઉનાળામાં (ફાગણ સુદ ૧૫ થી અષાડ સુદ ૧૪) ૩૦ દિવસ ચો


ધર્મનું ફળ Product અને Byproduct
આરાધનાનું મુખ્ય ફળ (Product) દોષોનો ઘટાડો છે. આરાધના કરવાની તેના માટે જ છે.બીજાં ફળો પણ તેનાથી મળી શકે, મળે છે, જેમ કે પુણ્યબંધ, કર્મનિર્જરા વગેરે. પણ એ બધા By-Product છે. આપણે અનંત કાળમાં આરાધના કરી, પણ By-Product માટે જ કરી. તેને જ આપણે મુખ્ય ફળ (Product) માની લીધું. હકીકતમાં જે મુખ્ય ફળ છે, તે આપણને જોઇતું જ નહોતું.તેથી આરાધના કરવા છતાં આપણા દોષો ઘટ્યા નહીં, આપણો સંસાર એવો ને એવો રહ્યો. જે હજુ ધર્મમાર્ગે ચડ્યો જ નથી, તેને By-Product બતાવીને પણ ધર્મમાર્ગે ચડાવાય – એ જુદી વા


કઈ આરાધનાને પ્રાયોરિટી આપવી...
પ્રશ્ન : પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, વ્યાખ્યાન... બધી આરાધના થઈ શકતી નથી. તો શેને પ્રાયોરિટી આપવી ? ઉત્તર : પ્રાયોરિટીનો નિર્ણય શેના આધારે થાય ? જે આરાધનાથી (સાક્ષાત્ કે પરંપરાએ) જેને ગુણવૃદ્ધિ-દોષનાશ વધુ થતા હોય, તેણે તેને પ્રાયોરિટી અપાય. એટલે, હકીકતમાં આ પ્રશ્નનો ‘જનરલ’ જવાબ નથી, દરેક વ્યક્તિ માટે બદલાઈ શકે. છતાં, એમ કહી શકાય કે સામાન્યથી વ્યાખ્યાન-શ્રવણ એ પ્રધાન આરાધના છે. કારણ એ છે કે બધી જ આરાધનાઓનું – આરાધનાની સમજણનું પ્રવેશદ્વાર વ્યાખ્યાન-શ્રવણ છે. એટલું જ નહીં, આરા
bottom of page
