top of page
Search


કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ નહીં…
પ્રવૃત્તિથી થતો કર્મબંધ, પ્રવૃત્તિના બાહ્ય પરિણામથી નહીં, તમારી અંદર રહેલ પરિણતિથી થાય છે. તમારી પાસે પ્રભુની કૃપાથી ઘણી સંપત્તિ હોય.. કો’ક ઉપાશ્રયના નામકરણનો ચઢાવો મોટી રકમમાં તમે લીધો.. ઉપાશ્રય બની ગયો, ઉદ્ઘાટન થઇ ગયું, ઉપાશ્રયનો ઉપયોગ પણ ચાલુ થઇ ગયો.. કોઇપણ કારણથી તમારા નામની તક્તી ન લાગી, તો શું થાય ? તમને તમારું દાન સફળ લાગે કે નિષ્ફળ ? સભા : છે તો સફળ, અમને લાગે નિષ્ફળ. તમે દાન શેના માટે કર્યું ? આરાધનાનો લાભ મળે તેના માટે ? કે તક્તી લાગે તેના માટે ? આરાધના તો થઇ જ રહી
bottom of page
